Wednesday, August 31, 2011

જાણો આ ગ્રહયુતિનાં ગૂઢ રહસ્યોનું ફળ કેવું મળશે?



આજે આપણે દ્દિગ્રહ યુતિની ચર્ચા કરીશું. જન્મકુંડળીના કોઇ પણ સ્થાનમાં બે ગ્રહો સાથે સાથે હોય તેને આપણે દ્દિગ્રહ યુતિ કહીશું. અહીં કેટલીક મહત્વની દ્દિગ્રહ યુતિને સમજીએ...

સૂર્ય ખગોળની દ્રષ્ટિએ એક અગન ગોળો છે અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો રાજા ગણાય. મંગળ પણ અગ્નિતત્વનો આક્રમક ગ્રહ છે. આ બંને ગ્રહો જન્મકુંડળીમાં કોઇ પણ સ્થાનમાં કોઇ પણ રાશિમાં જોડાય ત્યારે અસહ્ય તાપ ગરમી અને અગ્નિનું સર્જન થાય છે. આવા યોગને જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગ કહે છે.બુધ અને આદિત્યનો સંબંધ હોઇ આ યુતિને જ્યોતિષની ભાષામાં બુદ્ધાદિત્ય યોગ થયો એમ કહેવાય. શાસ્ત્રો એવું કહે છે આવી યુતિ ધરાવનાર જાતક પોતાની બુદ્ધિ દ્વારા નામના મેળવે છે કારણ કે બુધ એટલે બુદ્ધિ અને આદિત્ય એટલે નામના -કીર્તિ. જોકે, મોટા ભાગની કુંડળીઓમાં સૂર્ય અને બુધ સાથે સાથે જ હોય છે કારણ કે ખગોળ મુજબ બ્રહ્નાંડમાં બુધ સૂર્યથી કોઇ પણ સંજોગોમાં ૨૯ અંશથી વધારે દૂર જતો નથી.

જ્યોતિષશાસ્ત્ર અનેકોનેક ગૂઢ રહસ્યોથી ભરેલું શ્રદ્ધા અને વિજ્ઞાનનું અનોખું શાસ્ત્ર છે. જ્યોતિષ અને વેદનાં ગૂઢ રહસ્યોને પૂર્ણત: સમજવામાં આજદિન સુધી કોઇ પણ ખેરખાં અણીશુદ્ધ ખરો ઊતર્યો નથી. આપણા આર્ષર્દષ્ટા જ્ઞાનીઓ વિદ્વાનો આ શાસ્ત્રનું ગહન અધ્યનન કરી મોટા ભાગનાં રહસ્યો સુધી પહોંચી ગયા છે પણ કેટલીક બાબતોમાં હજુ પણ મતમતાંતર ચાલ્યા કરે છે. આજકાલ યુવાવર્ગ પણ આ શાસ્ત્ર તરફ આકષૉયો છે.

જે ક્ષેત્રમાં યુવાધન પગરણ કરે તે ક્ષેત્ર દેશને કીર્તિ અને નામના અપાવે જ, ભલેને પછી તે ક્રિકેટ હોય કે જ્યોતિષનાં સિક્રેટ (રહસ્ય). આજે આપણે આ લેખમાં દ્દિગ્રહ યુતિની ચર્ચા કરીશું. જન્મકુંડળીના કોઇ પણ સ્થાનમાં બે ગ્રહો સાથે સાથે હોય તેને આપણે દ્દિગ્રહ યુતિ કહીશું. અહીં કેટલીક મહત્વની દ્દિગ્રહ યુતિની સમજ આપી છે.

સૂર્ય-મંગળ : સૂર્ય ખગોળની દ્રષ્ટિએ એક અગન ગોળો છે અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનો રાજા ગણાય. મંગળ પણ અગ્નિતત્વનો આક્રમક ગ્રહ છે. આ બંને ગ્રહો જન્મકુંડળીમાં કોઇ પણ સ્થાનમાં કોઇ પણ રાશિમાં જોડાય ત્યારે અસહ્ય તાપ ગરમી અને અગ્નિનું સર્જન થાય છે. આવા યોગને જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગ કહે છે. આવી યુતિ ધરાવતા જાતકો સ્વભાવે અતિ ગુસ્સાવાળા અને વાતવાતમાં તપી જનારા હોય છે. વિચારશક્તિ અલ્પ હોઇ કોઇ પણ નિર્ણય અતિ ઉતાવિળયો અને નરી મૂખૉઇથી ભરેલો હોય છે. આવા જાતકો લગ્નજીવનમાં ક્યારેક નિષ્ફળ જતા હોય છે. ક્રોધી સ્વભાવના કારણે પાપ કર્મ કરે છે અને કર્મ આચરણની બુદ્ધિ ક્ષમતા ગુમાવી બેસતા હોય છે.

સૂર્ય-બુધ : બુધ અને આદિત્યનો સંબંધ હોઇ આ યુતિને જ્યોતિષની ભાષામાં બુદ્ધાદિત્ય યોગ થયો એમ કહેવાય. શાસ્ત્રો એવું કહે છે આવી યુતિ ધરાવનાર જાતક પોતાની બુદ્ધિ દ્વારા નામના મેળવે છે કારણ કે બુધ એટલે બુદ્ધિ અને આદિત્ય એટલે નામના -કીર્તિ. જોકે, મોટા ભાગની કુંડળીઓમાં સૂર્ય અને બુધ સાથે સાથે જ હોય છે કારણ કે ખગોળ મુજબ બ્રહ્નાંડમાં બુધ સૂર્યથી કોઇ પણ સંજોગોમાં ૨૯ અંશથી વધારે દૂર જતો નથી. આવા જાતકો રાજ સન્માન પણ મેળવતા હોય છે પરંતુ આ યુતિમાં સૂર્ય મેષ રાશિમાં - સિંહ રાશિમાં હોવો જરૂરી છે. બુધ અને સૂર્યની યુતિમાં સૂર્ય બળવાન હોય તો કીર્તિ નામના મળે અને બુધ બળવાન હોય તો (કન્યા-મિથુન રાશિમાં) વ્યક્તિ લેખન કે વકતવ્ય દ્વારા પ્રસિદ્ધિ મેળવે છે.

સૂર્ય-ગુરુ : આ બંને ગ્રહો બ્રહ્નાંડ જગતના શ્રેષ્ઠ આકાશીય મિત્રો છે. બંને અતિ પવિત્ર અને કલ્યાણકારી ગ્રહો છે. જ્યારે જન્મકુંડળીમાં સૂર્ય ગુરુની યુતિ થાય ત્યારે આવો જાતક મિતભાષી-ધનવાન અને પ્રતિષ્ઠિત સંસ્કારી પ્રકૃતિનો હોય છે. આવો જાતક સરકારી ખાતામાં મોટો સલાહકાર કે સન્માનનીય હોદ્દા પર હોય છે. ગુરુ એટલે માનદ, મોટો, વંદનીય અને દેવ સમાન જેની પ્રકૃતિ હોય તેને ગુરુ કહેવાય. જે જ્ઞાન આપે તે ગુરુ અને જે પ્રતિષ્ઠા આપે તેને સૂર્ય કહેવાય. જ્ઞાન અને પ્રતિષ્ઠાનો અદ્ભુત સમન્વય એટલે ગુરુ અને સૂર્યની યુતિ. આવા જાતકો સમાજમાં હંમેશાં અગ્ર સ્થાને હોય છે.

સૂર્ય-શુક્ર : આવી યુતિ ધરાવતા જાતકોનું વ્યક્તિત્વ મેગ્નેટિક હોય છે અને સ્ત્રી દ્વારા ધન અને વૈભવ મેળવતા હોય છે પરંતુ સ્ત્રી સુખ કે દાંપત્ય સુખ તેમના નસીબમાં હોતું નથી કારણ કે શુક્ર જ્યારે સૂર્યની નજીક જાય ત્યારે સૂર્યની અસહ્ય ગરમીના કારણે શુક્ર પોતાનાં લક્ષણ અને ગુણધર્મ ગુમાવી દે છે. સૂર્યની નજીક જ્યારે કોઇ પણ ગ્રહ જાય ત્યારે તેને કમ્બસ્ટેડ પ્લેનેટ (સળગી ગયેલો) કહે છે. તમે ખાસ નિરીક્ષણ કરજો જે જે કુંડળીઓમાં શુક્ર અને સૂર્ય સાથે હોય તેઓના લગ્નજીવનમાં કલેશ અને બુમરાણ હોય છે. આથી જ કલ્યાણ વર્માની સારાવલિ અને અત્રિના અત્ર અત્ર ગ્રહા: નામનાં પુસ્તકોમાં લખ્યું છે કે જન્મકુંડળીમાં જો બુધ કે શુક્ર એકલા હોય તો તેઓ વધુ શક્તિશાળી બને છે.

સૂર્ય-શનિ : જ્યોતિષશાસ્ત્રમાં અને જ્યોતિષીઓ માટે અતિ વિવાદાસ્પદ રહેલી આ યુતિ માટે જેટલું લખો તેટલું ઓછું છે. બ્રહ્નાંડના આ બાપ-દીકરાની ટક્કર યુગો યુગોથી ચાલી આવી છે. આ યુતિ જાતકને અતિ સંઘર્ષ અને પીડા આપ્યા બાદ પ્રસિદ્ધિના શિખરે લઇ જાય છે. અમે જે લોકોને બાળપણમાં ભિખારી જોયેલા તેવા લોકો આવી યુતિના કારણે અત્યારે ધન, વૈભવ અને પ્રસિદ્ધિનો આસ્વાદ માણી રહ્યા છે. આ યુતિનો સંદેશ છે ‘દુ:ખનું જેટલું મોટું આકાશ એટલો જ સુખનો જબરદસ્ત અવકાશ’ મેષ અને તુલા રાશિમાં આ યુતિનાં પરિણામો ક્યારેક આશ્ચર્યજનક તો ક્યારેક આઘાતજનક હોય છે.

સૂર્ય-ચંદ્ર : આ યુતિના સંયોગમાં ક્યારેક મોટા મોટા સંત અને આધ્યાત્મિક પુરુષોના જન્મ થયાના પુરાવા પણ છે. આ યુતિ વ્યક્તિને આધ્યાત્મવાદ તરફ ખેંચે છે. કેટલાક કિસ્સાઓમાં આ યુતિએ પતિ-પત્ની વચ્ચે સુમધુર અને સુરીલું દાંપત્યજીવન બક્ષ્યું હોય તેવાં ઉદાહરણ પણ છે, કારણ કે સૂર્ય એટલે રાજા અને ચંદ્ર એટલે રાણી. આમ સૂર્ય ચંદ્રની યુતિ એ રાજા-રાણીના મિલનની વાત છે.

કોઇ પણ યુતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં જ્યોતિષનાં અન્ય પાસાં જોવા જરૂરી છે જેવાં કે રાશિ, સ્થાન, નક્ષત્ર, નવમાંશ વગેરે. અલબત્ત, અહીં કરેલું અર્થઘટન જ્યોતિષના અવલોકનથી સાવ જ નજીક છે તેમાં કોઇ શક નથી.

No comments:

Post a Comment