Wednesday, August 31, 2011

નખના આધારે જાણો તમારો સ્વભાવ અને વ્યક્તિત્વ



જો નખ તેના મૂળમાંથી સહેજ ગોળાકાર હોય તેમજ લાંબા, પહોળા અને ગુલાબી હોય તો તે વ્યક્તિની નિર્ણયશક્તિ મજબૂત હોવાનું જણાય છે. તેઓનો સ્વભાવ વિવેકી હોય છે

જો કોઇ પણ વ્યક્તિનો નખ તામ્રવર્ણ જેવો હોય તો તે વ્યક્તિને આર્થિક સધ્ધરતા પણ વધુ હોવાની જણાય છે. તેમજ તેના સમાજમાં તેનો પ્રભાવ પણ સારો એવો રહેવા જણાય છે.

જો દરેક આંગળીના નખમાં અર્ધચંદ્રાકાર નાના હોય તો તે વ્યક્તિ કોઇ પણ પ્રકારનું દુ:ખ સહન કરવામાં કમજોર હોય છે. તેમજ તેનું હૃદય પણ કમજોર હોવાનું જણાય છે. જો અર્ધચંદ્ર પ્રમાણમાં મોટા હોય તો તે વ્યક્તિને પાણીથી નુકસાન થાય છે. તેમજ તેના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી તેનામાં પરસેવાનું પ્રમાણ વધુ હોવાનું જણાય છે.

હમણાં જ થોડાં વર્ષો અગાઉ એક વિદેશની મેડિકલ કાઉન્સિલે એવું જાહેર કર્યું છે કે જો કોઇ પણ વ્યક્તિની પ્રથમ આંગળીના પર્વમાં જો સૌથી વધુ ચક્રો હોય તો તે વ્યક્તિને લોહીનું દબાણ રહેવા જણાય છે. જેનો ઉલ્લેખ હસ્તરેખા શાસ્ત્રોમાં વર્ષો અગાઉ થયેલો છે.

કેટલીક વ્યક્તિઓ આંકડાશાસ્ત્ર એટલે કે અંકશાસ્ત્રને મહત્વ આપતાં હોય છે. તેમાં પણ કેટલીક વ્યક્તિઓનો ભાગ્યાંક એકસરખો હોવા છતાં તેઓના સ્વભાવ તેમજ તેઓનાં કાર્યક્ષેત્ર પણ અલગ જોવા મળે છે, પરંતુ વ્યક્તિની હથેળી પોતાની હોવાથી તેમાં રહેલી રેખાઓ પણ પોતાની હોય છે. તેથી તેની હસ્તરેખા થકી તેનાં ભાવિનું જો ફળકથન કરવામાં આવે તો તેમાં કોઇ પણ પ્રકારનો ગૂંચવાડો ઊભો થવાની શક્યતાઓ રહેતી નથી.

આપણા પ્રાચીન ઋષિમુનિઓ જે આ વિષયમાં ખૂબ જ નિષ્ણાત હતા જેઓએ પોતાની જાત નિચોવીને કેટલાક પ્રકારની શોધખોળ કરેલ છે તે આ શાસ્ત્રના અભ્યાસના અનુભવથી જ જાણી શકાય તેમ છે. હમણાં જ થોડાં વર્ષો અગાઉ એક વિદેશની મેડિકલ કાઉન્સિલે એવું જાહેર કર્યું છે કે જો કોઇ પણ વ્યક્તિની પ્રથમ આંગળીના પર્વમાં જો સૌથી વધુ ચક્રો હોય તો તે વ્યક્તિને લોહીનું દબાણ રહેવા જણાય છે. જેનો ઉલ્લેખ હસ્તરેખા શાસ્ત્રોમાં વર્ષો અગાઉ થયેલો છે.

અહીં આપણે સૌ પ્રથમ આંગળીઓની પાછળ રહેલ નખનો અભ્યાસ કરીશું. અલગ અલગ વ્યક્તિઓના નખનો આકાર પણ અલગ અલગ હોય છે. તેથી તે પ્રમાણે તેના સ્વભાવમાં અને તેની તંદુરસ્તી ઉપર પણ તેની અસર વર્તાતી હોવાનું જણાય છે. વૈદો અને ડોક્ટરો પણ કોઇ બીમાર વ્યક્તિનો રોગ ઓળખવા માટે નખનો ઉપયોગ કરતા હોય છે. તેઓ સૌ પ્રથમ રોગી વ્યક્તિના નખનું નિરીક્ષણ કરે છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે જે હસ્તરેખા શાસ્ત્રને વૈજ્ઞાનિક ઠરાવવામાં ઉપયોગી નીવડે છે. જો કોઇ પણ વ્યક્તિનો નખ તામ્રવર્ણ જેવો હોય તો તે વ્યક્તિને આર્થિક સધ્ધરતા પણ વધુ હોવાની જણાય છે. તેમજ તેના સમાજમાં તેનો પ્રભાવ પણ સારો એવો રહેવા જણાય છે. જોકે, અહીં તેની ભાગ્યરેખા અને સૂર્યરેખાનું અવલોકન મહત્વનું છે.

જો કોઇ પણ વ્યક્તિનો નખ લાલ રંગનો હોય તો તે વ્યક્તિની તંદુરસ્તી સારી પરંતુ તે નાની સરખી વાતમાં પણ ઝડપથી ગરમ થઇ જાય છે. ગુલાબી નખવાળી વ્યક્તિઓ પણ આર્થિક પ્રગતિ સારી કરતી હોય છે. જો કોઇ પણ વ્યક્તિના નખ કાળા અને પીળા રંગના હોય તો તે વ્યક્તિ તેના ચારિત્રયમાં પણ શિથિલ અને સહેજ પણ વિશ્વાસપાત્ર રહેવા જણાતો નથી. જો કોઇ પણ વ્યક્તિના નખ ટૂંકા, સખત તેમજ ચામડીથી ઢંકાયેલ હોય તો તે વ્યક્તિનો સ્વભાવ વાંધાજનક હોવાનું જણાય છે. તેમજ તેની એકાગ્રશક્તિ પણ પ્રમાણમાં ઓછી હોવાનું જણાય છે.

જો નખ તેના મૂળમાંથી સહેજ ગોળાકાર હોય તેમજ લાંબા, પહોળા અને ગુલાબી હોય તો તે વ્યક્તિની નિર્ણયશક્તિ મજબૂત હોવાનું જણાય છે. તેઓનો સ્વભાવ વિવેકી હોય છે. જો નખ લાંબા, પાતળા અને સખત હોય તો તે વ્યક્તિની તંદુરસ્તીમાં પણ વારંવાર વિઘ્નો આવતાં હોય છે. તેમજ તેની બુદ્ધિશક્તિ પણ નબળી હોવાનું જણાય છે. જો કોઇ પણ વ્યક્તિના નખ લાંબા અને આગળથી વળી ગયેલા હોય તો તેઓને ક્ષયનો રોગ પણ લાગુ પડતો હોય છે. જો નખ ઉપર કાળા ડાઘ હોય તો તે વ્યક્તિને કોઇ પણ બાબતે તેને અપકીર્તિ મળવા જણાય છે.

જો તેમાં મૂળમાં ડાઘા હોય તો ભવિષ્યની મુશ્કેલીઓની સૂચના આપે છે. તેમજ તેના મધ્ય ભાગમાં કાળા ડાઘા હોય તો તે વર્તમાન મુશ્કેલીઓનું સૂચન કરે છે. જો અગ્રભાગમાં ડાઘા હોય તો ભૂતકાળમાં પડેલી મુશ્કેલીઓનું સૂચન કરે છે.

જો કોઇ પણ વ્યક્તિના નખમાં સફેદ ડાઘ હોય તો તેની પાચનશક્તિ નબળી હોવાનું જણાય છે. તેમજ તેનામાં રુધિરાભિસરણની પણ ખામી હોવાનું જણાય છે. જો નખ પ્રમાણમાં સાંકડો હોય તો તે વ્યક્તિને પેટનાં દર્દ પણ હોવાનું જણાય છે. નખ પાતળાં હોય તો તે વ્યક્તિને કમરનો દુખાવો તેમજ ગરદનનો પણ દુખાવો રહેવા જણાય છે. જો કોઇપણ વ્યક્તિના નખ ચોરસ હોય તો તેઓ ભોળા અને નિષ્કપટ હોય છે.

જો દરેક આંગળીના નખમાં અર્ધચંદ્રાકાર નાના હોય તો તે વ્યક્તિ કોઇ પણ પ્રકારનું દુ:ખ સહન કરવામાં કમજોર હોય છે. તેમજ તેનું હૃદય પણ કમજોર હોવાનું જણાય છે. જો અર્ધચંદ્ર પ્રમાણમાં મોટા હોય તો તે વ્યક્તિને પાણીથી નુકસાન થાય છે. તેમજ તેના શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી તેનામાં પરસેવાનું પ્રમાણ વધુ હોવાનું જણાય છે.

નખના ઉપરના ભાગમાં જો આડી રેખાઓ હોય તો તે વ્યક્તિનો રોગ જડમૂળમાંથી નાબૂદ થયો હોવાનું જણાય છે. જો આ નખના મધ્ય ભાગમાં આડી રેખાઓ હોય તો વર્તમાન સમયમાં અથવા તો આવનાર બે કે ત્રણ માસમાં રોગ થવાની સંભાવના રહેલી હોવાનું જણાય છે. તેમજ નખના મૂળમાં આડી રેખાઓ હોય તો રોગ થવાનું સૂચન કરે છે.

No comments:

Post a Comment