Wednesday, August 31, 2011
વંશ પરંપરાથી ચાલ્યા આવતા ખરાબ યોગ આવું ફળ આપશે
Related Articles
* વંશ પરંપરાથી ચાલ્યા આવતા ખરાબ યોગ આવું ફળ આપશે
શુભ યોગો મનુષ્યની ઉન્નતિ કરે છે. અશુભ યોગો માનવને અવળા માર્ગે તથા અધોગતિ તરફ લઇ જાય છે. અશુભ યોગોના લીધે જીવનમાં વારંવાર માત્ર પડતીના યોગો સર્જાય છે. તનતોડ પરિશ્રમ કર્યા પછી પણ માત્ર પેટનો ખાડો પૂરવા જેટલું જ મળે છે.
દસમા સ્થાને નોકરીમાં વારંવાર ફેરબદલી તથા મનને ગમે તેવી નોકરી મળતી નથી. પ્રમોશનો અટકી જાય છે. માનહાનિના યોગ સર્જાય છે. પિતાને લાંબી બીમારી આવે છે. રાજકારણમાં હોય તો અપયશ અથવા કારાવાસ કરાવે છે.
આ યોગવાળી વ્યક્તિ હારીથાકીને વિદેશથી પણ પરત આવી જાય છે. મનમાં અશુભ વિચારોના વંટોળ આવ્યા કરે છે. શાપિત યોગને પિતૃયોગ પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિને આ યોગ હોય તેના કુટુંબમાં એકાદ વ્યક્તિ પાગલ જેવી હોય છે.
ભાગ-૨
ગીતાજીનું એક સુંદર વાક્ય છે. ‘ગહનો કર્મણા ગતિ:’ હે અર્જુન! કર્મની ગતિ ખૂબ જ ગહન છે. કર્મની ગતિને જાણવા માટે તમારે જ્યોતિષશાસ્ત્રની મદદ લેવી જ પડે. જ્યોતિષશાસ્ત્ર વ્યક્તિનું ભવિષ્ય બતાવે છે. જન્મકુંડળી તમારા ગત જન્મનું, આ જન્મનું તથા થનાર જન્મનું દર્શન કરાવે છે. કુંડળીના પંચમસ્થાનથી મનુષ્યનો ગત જન્મ, તેની પ્રકૃતિ વગેરેનો ખ્યાલ મળી જાય છે. જન્મકુંડળીમાં રચાતા શુભ યોગ અને અશુભ યોગ પણ મનુષ્યના કર્મનો ખ્યાલ આપે છે.
શુભ યોગો મનુષ્યની ઉન્નતિ કરે છે. અશુભ યોગો માનવને અવળા માર્ગે તથા અધોગતિ તરફ લઇ જાય છે. અશુભ યોગોના લીધે જીવનમાં વારંવાર માત્ર પડતીના યોગો સર્જાય છે. તનતોડ પરિશ્રમ કર્યા પછી પણ માત્ર પેટનો ખાડો પૂરવા જેટલું જ મળે છે. આજે આપણે શનિ+રાહુથી રચાતા શાપિત યોગની ચર્ચા કરીશું.
આગળના અંકમાં આપણે એક થી છ સ્થાન સુધીનું ફળકથન જાણ્યું હતું. આ અંકમાં સાતથી બાર સ્થાનોનું ફળકથન જોઇશું જે વ્યક્તિના સાતમા સ્થાને આ યોગ બનતો હોય તે વ્યક્તિનું લગ્નજીવન અસંતોષી રહે છે. વૈધવ્યના યોગ બને છે. ભાગીદારોથી લેણું રહેતું નથી. ભાગીદારો પાયમાલ કરે છે.
પ્રેમ માર્ગમાં નિષ્ફળતા સિવાય કંઇ જ હાથમાં આવતું નથી. આઠમા સ્થાને વારસા માટે ઝઘડા થાય છે. કોર્ટ-કચેરીના યોગ ઊભા થાય છે. કેટલીકવાર મારામારી, જેલ જેવા યોગ ઉત્પન્ન થાય છે. મોટાભાગે જન્મટીપ જેવી સજાઓ પામનાર વ્યક્તિના આઠમા અને બારમા સ્થાને આવા યોગો જોવા મળે છે. નવમા સ્થાને એકધારી ભાગ્યની ઉન્નતિ થતી નથી. લક્ષ્મી માટે કાયમ ચિંતા રહ્યા કરે છે.
દસમા સ્થાને નોકરીમાં વારંવાર ફેરબદલી તથા મનને ગમે તેવી નોકરી મળતી નથી. પ્રમોશનો અટકી જાય છે. માનહાનિના યોગ સર્જાય છે. પિતાને લાંબી બીમારી આવે છે. રાજકારણમાં હોય તો અપયશ અથવા કારાવાસ કરાવે છે. અગિયારમા સ્થાને લાભને અટકાવ છે. નાવ કિનારા સુધી આવીને અચાનક જ ડૂબી જાય છે. જીવનમાં યશ મળતો નથી. સગાંવહાલાં પણ દુશ્મન જેવું વર્તન કરે છે. આવક માટે ચારે દિશામાં દોડધામ કરવી પડે છે. ચિંતાઓનો પાર રહેતો નથી.
વિદ્યાભ્યાસ પણ પૂર્ણ થતો નથી. ડિપ્રેશન આવવાનો ભય રહે છે. અમારા સંશોધન પ્રમાણે આ યોગવાળી વ્યક્તિને જીવનમાં એકવાર અવશ્ય ડિપ્રેશન આવે છે. શાપિત યોગવાળી વ્યક્તિના કુટુંબમાં નાની ઉંમરે તથા એક્સિડન્ટમાં કેટલીક વ્યક્તિઓનાં ંપણ મરણ જોવા મળે છે. બારમા સ્થાને આવક કરતાં જાવકનું પ્રમાણ અનેકગણું જોવા મળે છે. ત્રણ સાંધો અને તેર તૂટે તેવી સ્થિતિ સર્જાય છે. વિદેશમાં પણ અનેક કષ્ટો સહન કરવાં પડે છે.
આ યોગવાળી વ્યક્તિ હારીથાકીને વિદેશથી પણ પરત આવી જાય છે. મનમાં અશુભ વિચારોના વંટોળ આવ્યા કરે છે. શાપિત યોગને પિતૃયોગ પણ કહેવામાં આવે છે. જે વ્યક્તિને આ યોગ હોય તેના કુટુંબમાં એકાદ વ્યક્તિ પાગલ જેવી હોય છે. એકાદ વ્યક્તિ ધૂણતી હોય તેવી પણ જોવા મળે છે. આ યોગનો નિકાલ કરવો જોઇએ. શાસ્ત્રીય ઉપાયો દવા જેવું કામ કરે છે. આ યોગવાળી વ્યક્તિએ સત્પુરુષોનું સારણ સેવા વગેરે કરવા જોઇએ. માતા-પિતાનો નિસાસો ક્યારે પણ લેવો જોઇએ નહીં. પરોપકારની ભાવનાથી આ યોગની અસર ઓછી થાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment