Thursday, August 18, 2011

ચાલીસા પ્રશ્નતાલિકા : કુંડળી વિના પણ જાણો ભવિષ્ય




દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઉત્સુક હોય છે. ભવિષ્ય સંબંધી પ્રશ્નનો જવાબ મોટેભાગે જન્મપત્રિકાના માધ્યમથી જણાવવામાં આવે છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમની જન્મપત્રિકા હોતી નથી અથવા બનાવાયેલી જન્મપત્રિકાની સત્યતા બાબતે તેમને શંકા હોય છે. આવા લોકો માટે ચાલીસા પ્રશ્નતાલિકા કુંડળી વગર ભવિષ્ય જણાવતા જ્યોતિષની ગરજ સારે છે

કેટલીક વ્યક્તિ એવી હોય છે જે જન્મપત્રિકા બનાવ્યા સિવાય પોતાના પ્રશ્નનો ઉત્તર જાણવા ઇચ્છતી હોય છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ આવી સમસ્યાના સમાધાન માટે શ્રીરામ શલાકા, ભૈરવ પ્રશ્નાવલી, હિમાંશુ પ્રશ્નાવલી, મૂક પ્રશ્નાવલી વગેરેની રચના કરી છે. આવી જ એક ગુપ્ત પ્રશ્નોત્તરી પદ્ધતિઓમાંની એક છે- ‘ચાલીસા પ્રશ્નતાલિકા (અનુક્રમણિકા)’ તેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર સરળતાથી મેળવી શકે છે. તેના ઉપયોગ માટેના કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવાનું રહે છે, જેમ કે-



કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર

દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઉત્સુક હોય છે. ભવિષ્ય સંબંધી પ્રશ્નનો જવાબ મોટેભાગે જન્મપત્રિકાના માધ્યમથી જણાવવામાં આવે છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમની જન્મપત્રિકા હોતી નથી અથવા બનાવાયેલી જન્મપત્રિકાની સત્યતા બાબતે તેમને શંકા હોય છે. આવા લોકો માટે ચાલીસા પ્રશ્નતાલિકા કુંડળી વગર ભવિષ્ય જણાવતા જ્યોતિષની ગરજ સારે છે

કેટલીક વ્યક્તિ એવી હોય છે જે જન્મપત્રિકા બનાવ્યા સિવાય પોતાના પ્રશ્નનો ઉત્તર જાણવા ઇચ્છતી હોય છે. પ્રાચીન ઋષિ-મુનિઓએ આવી સમસ્યાના સમાધાન માટે શ્રીરામ શલાકા, ભૈરવ પ્રશ્નાવલી, હિમાંશુ પ્રશ્નાવલી, મૂક પ્રશ્નાવલી વગેરેની રચના કરી છે. આવી જ એક ગુપ્ત પ્રશ્નોત્તરી પદ્ધતિઓમાંની એક છે- ‘ચાલીસા પ્રશ્નતાલિકા (અનુક્રમણિકા)’ તેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રશ્નનો ઉત્તર સરળતાથી મેળવી શકે છે. તેના ઉપયોગ માટેના કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવાનું રહે છે, જેમ કે-

* સદાચારી, સદ્ગુણી અથવા પૂજાપાઠ કરવાવાળી વ્યક્તિઓ દ્વારા જ પ્રશ્નોના ઉત્તર જોવા જોઈએ.

* એક દિવસમાં કોઈ એક વ્યક્તિ સંબંધમાં એક પ્રશ્ન અને કુલ ત્રણ પ્રશ્નોથી વધુ પ્રશ્નોના ઉત્તર હોવા જોઈએ નહીં.

* મજાકમાં કસોટીના સ્તર પર આ પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. નહીં તો આ ભવિષ્યને માટે પણ તે ઉપયોગમાં આવશે નહીં.

* બપોરે બાર વાગ્યા પહેલાં જ પ્રશ્નનો ઉત્તર જોવો જોઈએ.

પ્રશ્નાવલીની વિધિ

આ ચાલીસા પ્રશ્નના પરિશિષ્ટ (કોષ્ટક)ને શુભ મુહૂર્તમાં કોઈ મોટા કાગળ અથવા કેસરની સ્યાહીથી અને દાડમની કલમથી લખવું. તે પછી જ્યારે પણ કોઈ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય ત્યારે સર્વપ્રથમ જમણા હાથની અનામિકા આંગળીને પોતાના બંને નેત્રોની વચ્ચે રાખવી અને પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરવું. તે પછી મનોમન ગાયત્રી મંત્રનું અગિયાર વખત ઉચ્ચારણ કરવું અને ભગવાનને પ્રાર્થના કરવી કે, પોતાની સમસ્યાનો યોગ્ય ઉકેલ તેઓ જ આપે. હવે આંખો ખોલીને ચાંદી અથવા લાકડાંની શલાકાથી આ પરિશિષ્ટ પર ફેરવતાં સીતારામ લખવું અને કોઈ પણ એક ખાના પર તેને રોકી દેવી. જ્યાં રોકાય તે ખાનામાં જે સંખ્યા લખી હોય તે અનુસાર આપેલી સંખ્યા પ્રમાણેના ઉત્તર જાણવા.

પ્રશ્નના જવાબો

(૧) ધીરે-ધીરે સંતોષની સાથે પ્રયત્ન કરો, ઉતાવળ કરવી નહીં, કામ જરૂર થઈ જશે. જોકે તેમાં થોડોક વિલંબ જરૂર થશે.

(૨) કાર્યની સફળતામાં સંદેહ (શંકા) છે. આ કાર્ય કરવામાં અંતરાયો વધુ છે અને લાભ ઓછા છે. પ્રયત્ન કરવાથી થોડીક સફળતા અવશ્ય મળશે.

(૩) આ કાર્યની પાછળ હાથ ધોઈને પડવા જેવું નથી, કારણ કે તેમાં સફળતા મળશે નહીં. કોઈ અન્ય યોજના બનાવીને તેમાં ધ્યાન કેન્દ્રીત કરો.

(૪) ઇચ્છવા છતાં પણ ધનલાભ થશે નહીં. ઈષ્ટ સાધના કરતાં થોડીક સફળતા અવશ્ય મળશે. દરરોજ ઓમ્ નમો વિષ્ણવે નમઃ મંત્રજાપની માળા કરવી.

(૫) પ્રશ્ન ઉત્તમ છે. પ્રયત્ન કરતાં રહો તો લાભ થશે અને સૌની મદદથી કાર્ય અનુકૂળ બની જશે. પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી. આમ કરવાથી માર્ગમાંના અવરોધો દૂર થશે.

(૬) આપ આપનું સમગ્ર રહસ્ય મિત્ર અથવા બીજાઓની સન્મુખ પ્રકટ કરી દો છો. એટલા માટે આપનું કાર્ય થતું નથી. આપના મિત્ર અને પરિચિત જ આપના દુશ્મન બની જાય છે. ઓમ શ્રી હનુમતે નમઃ મંત્રની માળાનો દરરોજ જાપ કરવો. આમ કરવાથી આપનું કાર્ય થોડા સમયમાં થઈ જશે, પરંતુ આપની યોજના અન્ય સમક્ષ પ્રગટ કરશો નહીં.

(૭) સૌનું મંતવ્ય લઈને નિર્ભયતાપૂર્વક આપનું કાર્ય કરતાં રહો. આબરૂ, અસ્થિરતા અને ગભરાટને પાસે ફરકવા પણ દેશો નહીં, પરંતુ સતત પ્રયત્નશીલ રહો, નિઃસંદેહ આપનું કાર્ય અવશ્ય પૂર્ણ થશે.

(૮) કાર્ય કઠિન (અઘરું) છે, તો શું થયું ? ઈશ્વર પર વિશ્વાસ રાખો. ધનની ચિંતા કરશો નહીં. ઓમ્ નમો વિષ્ણવે નમઃ મંત્રની એક માળાનો જાપ દરરોજ કરો અને પ્રયત્નશીલ રહો. કાર્ય થશે અને લાભ પણ મળશે.

(૯) તમારા શત્રુઓ અનેક છે, જે સમસ્યાઓ ઊભી કરે છે. શત્રુઓથી સાવધાન રહો અને કોઈ પણ વાત પર આંધળો વિશ્વાસ કરવો નહીં. સ્વાસ્થ્યનું ધ્યાન રાખતાં પરિશ્રમ કરતાં રહો. કાર્ય જરૂર સિદ્ધ થશે. થોડા ઘણા વિલંબની સંભાવના વધુ છે.

(૧૦) માનસિક અસ્થિરતા અને કાર્ય સંબંધી અજ્ઞાનના કારણે જ કાર્ય સફળ થવામાં શક્યતા દેખાતી નથી. કુસંગતિથી બચવું અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરતાં રહેવાથી અવશ્ય સફળતા પ્રાપ્ત થશે.

(૧૧) અઘરું કાર્ય કરવાને માટે પગલું ભર્યું છે તો ક્યારેય હિંમત હારશો નહીં. ઈશ્વર પર વિશ્વાસ રાખી ધૈર્ય, વિશ્વાસ અને દૃઢતાપૂર્વક કાર્ય કરવાથી કાર્ય સરળતાથી થઈ જશે.

(૧૨) જલદી સારા દિવસો આવવાના છે. આપ ઇષ્ટ સાધના કરતાં રહો અને દાન-પુણ્ય પણ કરતાં રહો. આળસ ત્યાગીને જાતે કાર્યમાં પૂરું ધ્યાન આપો. કાર્ય થશે અને સુખ-સમૃદ્ધિ આપનાં ચરણોમાં આળોટશે.

(૧૩) આપના શત્રુ આપનું અહિત કરવાને તત્પર છે તેથી સતર્કતાપૂર્વક કોઈ પણ વાત પર વિશ્વાસ ન કરતાં આપનું કાર્ય કરતાં રહો. કોઈનું અહિત કરવાની ભાવના મનમાં ન લાવો. ઈશ્વર તમને મદદ કરશે અને આપને સફળતા મળશે.

(૧૪) કાર્યની સફળતામાં શંકા છે. સમયની કિંમત તમે સમજ્યા નથી. પરિણામે સારી તક હાથમાંથી સરી પડી છે, તેથી ભવિષ્યમાં આવનારી સારી તકને ગુમાવશો નહીં. સતત પ્રયત્નશીલ રહીને સમયનું મૂલ્ય સમજતા રહો. ત્યારે જ આપને આપના કાર્યમાં સફળતા મળશે.

(૧૫) ચિંતા એ ચિતાથી પણ વધુ ખરાબ છે. ચિંતા કરશો નહીં. કાર્યમાં મન ચોંટાડો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ સાથે કાર્યને ચાલુ રાખો સફળતા જરૂર મળશે.

(૧૬) આપ શંકાના કારણે ભ્રમિત થઈ ગયા છો. ભ્રમમાં પડશો નહીં અને ઈશ્વર પર વિશ્વાસ રાખો. આપનો શ્રમ સાર્થક થનારો છે.

(૧૭) આપનું કાર્ય ઈશ્વરની અનુકંપાથી જ શક્ય બનશે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને દાન-પુણ્ય કરો તો જ કલ્યાણ થશે.

(૧૮) ક્યારેય ચિંતા કરશો નહીં. મિત્ર-શત્રુની સારી રીતે ઓળખાણ કરીને સલાહ લો. ચાપલૂસી અને જૂઠી પ્રશંસા કરનાર મિત્ર નહીં, પણ શત્રુ છે. તેમના પર આંધળો વિશ્વાસ ન કરો. ઉદ્યમ કરતાં રહો. મનોવાંછિત ફળ જરૂર મળશે.

(૧૯) યાત્રા કરવાનું વિચારી રહ્યા હો તો તે એક સારી વાત છે. યાત્રાથી લાભ થઈ શકે છે. તેથી શુભ મુહૂર્તમાં યાત્રાના શ્રીગણેશ કરો. ગન્તવ્ય સ્થાન પર પહોંચીને જાતે જ અભિષ્ટ પ્રાપ્ત થઈ જશે.

(૨૦) આળસનો ત્યાગ કરીને પોતાના ઇષ્ટ કાર્યને સતત કરતાં રહો. લાભ થશે અને આગળનો સમય આનંદપૂર્વક પસાર થશે.

(૨૧) મનમાં ઘર કરી ગયેલી શંકાને દૂર કરી માનસિક અસ્થિરતાને ત્યાગી દો. ઈશ્વર પર વિશ્વાસ રાખી સતત પ્રયત્ન ચાલુ રાખો. મનવાંછિત ફળ મળશે.

(૨૨) તમારી ચિંતા વ્યર્થ છે. ફળની ચિંતા કરશો નહીં. પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે તમારું કાર્ય મિત્ર અને બંધુની મદદથી જ થવાનું છે.

(૨૩) કાર્ય અઘરું છે તો શું થયું ? તમારા જ પોતાના શત્રુ છે. તેમનાથી સાવધાન રહીને કાર્ય કરો. પ્રભુ સ્મરણ કરો, નહીં તો કાર્યની સફળતામાં શંકા ઉદ્ભવી શકે છે.

(૨૪) ચિંતા છોડીને કર્મ કરો, લાભ થશે. ધનને ધાર્મિક અથવા સારાં કાર્યો કરવામાં જ સ્થિર રાખો, નહીં તો ધન જેમ આવ્યું છે તેમ ચાલ્યું જશે.

(૨૫) કાર્યની સફળતામાં શંકા છે. સતત પ્રયત્ન કરવાથી આંશિક સફળતા મળી શકે છે.

(૨૬) સમય પ્રતિકૂળ છે. ભાગ્ય સાથ આપી રહ્યું નથી તેથી નિષ્ફળતાનું મુખ જોવું પડે તો કોઈ મોટી વાત નથી. બુધ મંત્ર ઓમ્ બ્રાં બ્રાં બ્રૌં સઃ બુધાય નમઃ નો દરરોજ એક માળા જપ કરવો. અંતરાયો દૂર થઈ જશે.

(૨૭) શાંત ચિત્ત બની સક્રિય રહો. દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળશે. શત્રુ પરાજિત થશે. ચિંતા કરશો નહીં, નહીં તો માનસિક અસ્થિરતા ભોગવવી પડશે.

(૨૮) યોગ્ય પદ્ધતિ અને પ્રયત્ન થકી સફળતા શક્ય બનશે. શત્રુ તમારા પર હાવી બનવાનો પ્રયત્ન કરશે. શત્રુથી સાવધાન રહો અને યોગ્ય સલાહ મેળવી કાર્ય કરતાં રહો. સઘળું બરાબર થઈ જશે.

(૨૯) લાલચ એ એક બૂરી બલા છે. લાલચવશ આપ જે કાર્ય કરવાને ઇચ્છો છો તેમાં લાભ ઓછો અને અંતરાયો વધુ છે. ધન લાંબા સમય સુધી ફસાયેલું રહેશે. તેથી કોઈ અન્ય કાર્ય કરવાનો વિચાર સરખો કરશો નહીં.

(૩૦) મનમાની કરતાં રહેવાથી કાર્ય બગડી જશે. પ્રયત્ન, સલાહ અને સ્વાભાવાનુકૂળ કામ કરતાં સફળતા મળશે.

(૩૧) પોતાનું સંપૂર્ણ ધ્યાન કાર્યમાં કેન્દ્રીત કરો અને આમતેમ રખડવાથી બચો. આત્મવિશ્વાસ અને સતત પ્રયત્ન કરવાથી લાભ મળશે.

(૩૨) સમય અનુકૂળ છે. જે વિચારી રહ્યા છો તેને કાર્યના રૂપમાં પરિર્વિતત કરી દો. વિલંબ કરશો નહીં. તેનાથી શીઘ્ર લાભ મળશે.

(૩૩) જો સ્વજન અને ઇષ્ટ મિત્ર મદદ કરે તો સફળતા અવશ્ય મળવાની પછી ભલેને કાર્ય અઘરું જ કેમ ન હોય!

(૩૪) આળસ ત્યાગી કર્મ કરવા માટે તત્પર બની જાવ. જેટલાં જલદી કાર્ય કરશો તેટલી જલદી સફળતા મળશે.

(૩૫) સામર્થ્ય અનુસાર કાર્ય કરો, નહીં તો કાર્યની સફળતામાં શંકા ઉદ્ભવશે. પૂરતાં પ્રયત્નો અને યોગ્ય સલાહ વિના કાર્ય કરવું નહીં એ યોગ્ય રહેશે.

(૩૬) કાર્ય થઈ જશે, પરંતુ તેમાં થોડો વિલંબ થશે, માટે ધીરજની સાથે કર્મ કરતાં રહો. ઉત્સાહને છોડશો નહીં.

(૩૭થી ૪૦) આ સમય પ્રશ્ન કરવાને માટે ઉત્તમ નથી. પછીના દિવસે શુભ મુહૂર્તમાં ફરીને પ્રશ્ન પૂછશો.

ચાલીસા પ્રશ્ન પરિશિષ્ટ















૧૦













૧૧


૧૨


૧૩


૧૪


૧૫

૨૦


૧૯


૧૮


૧૭


૧૬

૨૧


૨૨


૨૩


૨૪


૨૫

૩૦


૨૯


૨૮


૨૭


૨૬

૩૧


૩૨


૩૩


૩૪


૩૫

૪૦


૩૯


૩૮


૩૭


૩૬

No comments:

Post a Comment