Wednesday, August 31, 2011

ક્રૂર ગ્રહો દાંપત્યજીવનમાં સર્જી શકે છે તારાજી


જન્મકુંડળીના કેન્દ્રસ્થાન વ્યક્તિને દુન્યવી સુખ આપે છે. જો કેન્દ્રસ્થાન બળવાન હોય તેમાં બેસેલા ગ્રહો શુભ હોય તો જાતક સંસારનાં તમામ સુખનો હકદાર બને છે. પરંતુ કેન્દ્રમાં ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે.

લગ્નજીવનને ભગ્ન કરવામાં રાહુ-શુક્રની યુતિ-કર્ક રાશિનો ગુરુ અને સાતમા દાંપત્યજીવનના સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો અગર સાતમા સ્થાનના માલિક ગ્રહોનું છઠે, આઠમે અને બારમા સ્થાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાતક જ નહીં પરંતુ ધોતક પણ છે.

જન્મકુંડળીમાં કુલ બાર સ્થાન હોય છે. આ બાર સ્થાન પૈકી પ્રથમ-ચોથું-સાતમું અને દસમું સ્થાન કેન્દ્રસ્થાન તરીકે ઓળખાય છે. કેન્દ્રસ્થાન અતિ શુભ ફળદાતા છે અને જ્યોતિષશાસ્ત્રમાં તેની આગવી મહત્તા અને મહત્વ છે. આ સ્થાનના અધિપતિ ગ્રહો જે સ્થાનમાં બેસે તે સ્થાનને લગતી બાબતને શુભત્વ બક્ષે છે. ધારો કે સાતમા કેન્દ્રસ્થાનનો માલિક ગ્રહ બીજા ધન સ્થાનમાં બેસે તો ભાગીદાર કે જીવનસાથી તરફથી અતિ લાભ અને ધન મળે છે. આમ કેન્દ્રસ્થાનના માલિક ગ્રહો શુભ હોય કે અશુભ તેઓ હંમેશાં શુભ ફળ જ આપે છે, કારણ કે કેન્દ્રસ્થાન એ દૈવી અને પવિત્ર સ્થાન છે.

પરંતુ કુંડળીનાં આ ચાર કેન્દ્રસ્થાનમાં જો ક્રૂર ગ્રહો જેવા કે મંગળ-શનિ-રાહુ-કેતુ-સૂર્ય અગર પ્લૂટો બેસે તો લગ્નજીવનમાં ભારે તારાજી-ખાનાખરાબી સજેઁ છે. આ વિભાગમાં અગાઉ અમે દાંપત્યજીવનને છિન્નભિન્ન કરનારા યોગ અને સંજોગો વિશે ખૂબ જ છણાવટપૂર્વક ચર્ચા કરી છે. ખાસ કરીને લગ્નજીવનને ભગ્ન કરવામાં રાહુ-શુક્રની યુતિ-કર્ક રાશિનો ગુરુ અને સાતમા દાંપત્યજીવનના સ્થાનમાં બેઠેલા ક્રૂર ગ્રહો અગર સાતમા સ્થાનના માલિક ગ્રહોનું છઠે, આઠમે અને બારમા સ્થાનમાં બેસવું લગ્નજીવન માટે અતિ ઘાતક જ નહીં પરંતુ ધોતક પણ છે.

જન્મકુંડળીના કેન્દ્રસ્થાન વ્યક્તિને દુન્યવી સુખ આપે છે. જો કેન્દ્રસ્થાન બળવાન હોય તેમાં બેસેલા ગ્રહો શુભ હોય તો જાતક સંસારનાં તમામ સુખનો હકદાર બને છે, પરંતુ કેન્દ્રમાં ક્રૂર અને અશુભ ગ્રહો બેસે તો સાંસારિક સુખના નામે શૂન્યતા સર્જાય છે. અમારી પાસે એવી અસંખ્ય કુંડળીઓ છે કે જેમાં કેન્દ્રસ્થાનમાં ક્રૂર ગ્રહો બેઠા હોય તેવા જાતકોનું લગ્નજીવન કર્કશ કલેશમય અને કંકાશીયું હોય.

કેન્દ્રમાં બેઠેલા ક્રૂર ગ્રહોની ખાસિયત એ છે કે આવી કુંડળીવાળા જાતકોએ સમગ્ર જીવન નિધૉરિત પાત્ર સાથે જ જીવવાનું હોય છે અને તે પણ નર્ક સમાન જિંદગી સાથે, કારણ કે કેન્દ્રના ક્રૂર ગ્રહો છુટાછેડાના યોગ ઊભા કરતા નથી પરંતુ પતિ-પત્ની નામના બે છેડા એકઠા રાખી દુ:ખ, યાતના અને કષ્ટની ચરમસીમાએ લઇ જાય છે. જગતના મોટા ભાગના તત્વજ્ઞાનીઓ-ઉપદેશકો-સંતો અને વૈરાગીઓ એ નિષ્ફળ લગ્નજીવનની દેન છે.

અહીં આપેલી આ કુંડળીનું નિરીક્ષણ કરો. આ બહેનનો જન્મ ઓગસ્ટ ૧૯૫૬માં થયો છે. સિંહલગ્નની કુંડળી ધરાવતાં આ બહેનની કુંડળીમાં લગ્ને સૂર્ય, ગુરુ, બીજે, બુધ, ચોથે, શનિ રાહુ, સાતમે મંગળ, નવમે ચંદ્ર, દસમે કેતુ અને અગિયારમે શુક્ર છે. કેન્દ્રનાં તમામે તમામ સ્થાનમાં ક્રૂર ગ્રહો આવેલા છે.

આ બહેન એટલાં બધાં કકળાટિયાં અને કજિયાખોર છે કે તેમના પતિદેવે કંટાળીને દેવ (આત્મહત્યા)થવાનો ૩ વાર પ્રયત્ન કરેલો પરંતુ તોય આ બહેનની અક્કલ કે શાન ઠેકાણે આવતાં નથી. લગ્નજીવનની નકારાત્મકતાનું અતિ દયનીય અને ખેદનીય ઉદાહરણ એટલે આ બહેનની કુંડળી. અલબત્ત એટલું ચોક્કસ કહીશું કે ભગ્ન લગ્નજીવન માટે આ બહેન નહીં પણ કુદરતે ગોઠવેલી તેમની પ્રતિકૂળ ગ્રહ સ્થિતિ છે.

અને છેલ્લે...

કેન્દ્રમાં ક્રૂર ગ્રહો લગ્નજીવનને વન જેવું બનાવે તેનું સાક્ષાત્ ઉદાહરણ ભગવાન શ્રીરામનું છે. તેમની કર્ક લગ્નની કુંડળીમાં ચોથે તુલાનો શનિ, સાતમે મકરનો મંગળ અને દસમે મેષનો સૂર્ય વગેરે કેન્દ્રમાં આવેલા ક્રૂર ગ્રહોએ તેમને ભગવાન બનાવ્યા પરંતુ લગ્નજીવનમાં ભાગ્યવાન બનાવ્યા નહીં.

No comments:

Post a Comment