Wednesday, August 31, 2011
લગ્નજીવનની સૂક્ષ્મ વાતો જાણવા જુઓ નવમાંશ
સૌપ્રથમ લગ્નકુંડળીમાં સપ્તમેશની સ્થિતિ નવમાંશમાં જાણવી પડે. નવમાંશ કુંડળીમાં જો સપ્તમેશ ઉપરથી ગુરુનું ભ્રમણ થશે તો તે સમયમાં ચોક્કસ જાતકનાં લગ્ન થશે.
કેટલીકવાર જન્મકુંડળીમાં ઉચ્ચનો અથવા શુભ સ્થિતિમાં દેખાતો ગ્રહ નવમાંશ કુંડળીમાં નીચનો કે અશુભ બનતો હોય છે. નવમાંશમોં તેના ઉચ્ચત્વ કે શુભત્વનું ફળ જાતક મેળવી શકતો નથી. નવમાંશ કુંડળી વગર કરવામાં આવતું ફળકથન વ્યર્થ જાય છે.
જ્યોતિષમાં લગ્નકુંડળી કરતાં પણ અનેકગણું મહત્વ નવમાંશ ધરાવે છે. તમે અરીસામાં મુખ જુએ ત્યારે નાક-કાન- આંખ, હોઠ દરેકનો ખ્યાલ આવે છે. તેવી જ રીતે ધ્યાનથી નવમાંશનો અભ્યાસ કરવાથી પ્રશ્ન લઇને આવનાર વ્યક્તિને આપણે સચોટ માર્ગદર્શન આપીને તેના રાહબર બની શકીએ.
લગ્નજીવનનો સચોટ અને સૂક્ષ્મ ખ્યાલ મેળવવા માટે નવમાંશ કુંડળી ખૂબ જ મહત્વ ધરાવે છે. માત્ર જન્મકુંડળી, ગુણાંક, મંગળ, શનિ રાશિમેળ આટલાથી લગ્નજીવનનો સૂક્ષ્મ ખ્યાલ મેળવવો ખૂબ જ કઠિન વાત છે. અભ્યાસુ જ્યોતિષી અવશ્ય નવમાંશ ઉપર નજર કરશે જ. કેટલીકવાર જન્મકુંડળીમાં ઉચ્ચનો અથવા શુભ સ્થિતિમાં દેખાતો ગ્રહ નવમાંશ કુંડળીમાં નીચનો કે અશુભ બનતો હોય છે. નવમાંશમોં તેના ઉચ્ચત્વ કે શુભત્વનું ફળ જાતક મેળવી શકતો નથી. નવમાંશ કુંડળી વગર કરવામાં આવતું ફળકથન વ્યર્થ જાય છે. નવમાંશ કુંડળી જન્માક્ષરનું સાચું તત્વ છે. તમારે સચોટ ફળકથન કરવું હશે તો નવમાંશનો અભ્યાસ અવશ્ય કરવો જ પડશે.
સારા કે નરસા પ્રસંગો જાણવા માટે પણ નવમાંશનો અભ્યાસ જરૂરી બને છે. સારા પ્રસંગોની જાણકારી માટે ગોચરનો ગુરુ નવમાંશમાં ક્યાં ભ્રમણ કરે છે તેનો ખ્યાલ મેળવવો રહ્યો. નરસા પ્રસંગો જાણવા માટે શનિના ભ્રમણને, સ્થિતિને જાણવી પડે. લગ્નયોગની ચોક્કસ તારીખ કે સમય જાણવા માટે પણ નવમાંશનો સૂક્ષ્મ અભ્યાસ કરવો પડે. કેટલાકની લગ્ન બાબતની આગાહી ખોટી પડે છે, કારણ કે તેઓ નવમાંશનો અભ્યાસ જ કરતા નથી. સચોટ લગ્નયોગ જાણવા માટે કેટલીક બાબતોની ચર્ચા કરીશું.
- સૌપ્રથમ લગ્નકુંડળીમાં સપ્તમેશની સ્થિતિ નવમાંશમાં જાણવી પડે. નવમાંશ કુંડળીમાં જો સપ્તમેશ ઉપરથી ગુરુનું ભ્રમણ થશે તો તે સમયમાં ચોક્કસ જાતકનાં લગ્ન થશે.
- તમારી કુંડળીમાં લગ્નેશ કયો ગ્રહ છે અને તે નવમાંશમાં કઇ રાશિમાં પડેલો છે અને તેના ઉપરથી ગોચરમાં કયા ગ્રહો પસાર થઇ રહેલા છે તેની જાણકારી ખૂબ આવશ્યક છે.
- તમારી કુંડળીના સપ્તમેશની સ્થિતિ જાણો. નવમાંશ કુંડળીમાં જો તેના ઉપરથી ગુરુ પસાર થતો હશે તો સ્ત્રીનાં લગ્નનો યોગ આવે છે અને જો શુક્ર પસાર થતો હશે તો પુરુષનાં લગ્નનો યોગ બને છે.
- લગ્નનો માલિક નવમાંશમાં જે રાશિમાં હોય તે રાશિમાંથી શુક્ર પસાર થાય ત્યારે લગ્નનો યોગ જાણવો.
- ફળકથન કરતાં પહેલાં પ્રશ્નકુંડળી મૂકીને નવમાંશમાં દ્રષ્ટિ કરો સુખદ કે દુ:ખદ પ્રશ્નનો ખ્યાલ આવશે.
- તમારી જન્મકુંડળીમાં લગ્નેશ અને ભાગ્ય સ્થાનનો માલિક કયો ગ્રહ છે તે જાણીને નવમાંશ કુંડળીમાં જો તે ગ્રહ ઉપરથી ગુરુ ભ્રમણ કરશે અથવા પ્રતિયુતિમાં આવશે ત્યારે સુખદ પ્રસંગો સામે ચાલીને આવશે.
- તમારે પોતાનું મકાન ખરીદવું છે. તો ચતુર્થેશની સ્થિતિ નવમાંશમાં જાણવી આવશ્યક છે.
જ્યોતિષમાં લગ્નકુંડળી કરતાં પણ અનેકગણું મહત્વ નવમાંશ ધરાવે છે. તમે અરીસામાં મુખ જુએ ત્યારે નાક-કાન- આંખ, હોઠ દરેકનો ખ્યાલ આવે છે. તેવી જ રીતે ધ્યાનથી નવમાંશનો અભ્યાસ કરવાથી પ્રશ્ન લઇને આવનાર વ્યક્તિને આપણે સચોટ માર્ગદર્શન આપીને તેના રાહબર બની શકીએ. જ્યોતિષના માર્ગદર્શનથી દુ:ખી વ્યક્તિના જીવનમાં વસંત ખીલી ઊઠે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment