Thursday, August 18, 2011
ઉત્તરા ભાદ્રપદના જાતક સ્વપ્રયત્નોથી લાભ મેળવે છે
નક્ષત્ર મંડળમાં ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર ૨૬મા ક્રમે આવે છે. આ નક્ષત્ર મીન રાશિને અંતંર્ગત આવે છે. દ, થ અને ઝ તેના અક્ષરો છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી શનિ દેવ છે. જ્યારે રાશિ સ્વામી ગુરુ છે. જોકે શનિ અને ગુરુમાં શત્રુતા છે, પરંતુ ક્યારેક જાતકની કુંડળીમાં તે મિત્ર સમનો હોય તો તેનાં શુભ પરિણામ પણ જોવા મળે છે.
આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક સમજી-વિચારીને બોલનાર, ધર્મ-કર્મમાં આસ્થાવાન, ઉત્તમ વક્તા, ઉદાર હૃદયના તથા સન્માન મેળવનારા હોય છે. શનિ અધ્યાત્મવાદી છે, તો ગુરુ જ્ઞાનનો કારક છે. ગુરુ - શનિનો મેળ ધન અથવા મીન રાશિમાં થાય તો તેનાં શુભ પરિણામ જાતકને મળે છે.
ધન રાશિમાં ગુરુ શનિની યુતિ અધ્યાત્મવાદી, પરંતુ પરિશ્રમી પણ બનાવશે, મીનમાં ગુરુ - શનિના હોવાથી આવા જાતક પરમ અધ્યાત્મવાદી, પરોપકારી, જ્ઞાનવાન, સ્વપ્રયત્નોથી લાભ મેળવનાર ઉપદેશક પણ હોઈ શકે છે.
મેષ લગ્નમાં શનિની સ્થિતિ મકર, કર્ક, વૃષભમાં હોય તો અનુકૂળ ફળદાયી રહેશે. ગુરુની સ્થિતિ નવમા, દસમા, લગ્ન, ચોથા ઘરમાં શુભ ફળદાયી રહેશે. આવા જાતક ભાગ્યશાળી, ધનવાન, સ્વસ્થ, ધર્મપરાયણ, ઉત્તમ ગુણો ધરાવનાર હશે.
વૃષભ લગ્નમાં શનિની સ્થિતિ લગ્ન, ત્રીજા, છઠ્ઠા, નવમા ઘરમાં અતિ શુભ ફળદાયી થઈને ઉચ્ચ સ્તરે પહોંચનાર હશે.
ગુરુ જો મીન, કર્ક, સિંહનો હોય, તો વધારે શુભ ફળદાયી હશે. ગુરુ સાતમા, દસમા, ત્રીજા, અગિયારમા સ્થાનમાં હોય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. આવો જાતક કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીને ઉત્તમ સફળતા મેળવનાર હશે.
કર્ક લગ્નમાં શનિ અકારક જ રહેશે. જો ગુરુ શુભ રહેશે તો ઉત્તમ ફળ મળશે.
સિંહ લગ્નમાં નક્ષત્ર સ્વામી ફળદાયી રહેશે. આવા જાતક શત્રુહંતા, ઉત્તમ આયુષ્ય મેળવનારા હશે.
કન્યા લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ લગ્ન, પાંચમા, નવમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. ગુરુ ચોથા, સાતમા, ત્રીજા, અગિયારમા સ્થાનમાં ઉત્તમ ફળદાયી રહેશે. આવો જાતક ધનવાન, ઉત્તમ સંતાન અને પત્ની ધરાવનાર ભાગ્યશાળી હશે.
તુલા લગ્નમાં શનિ ચોથા, પાંચમા, દસમા ઘરમાં સામાન્ય રહેશે. રાશિ સ્વામી ગુરુ અગિયારમા, ત્રીજા, છઠ્ઠા, દસમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. દસમા ઘરમાં ગુરુ, ચોથા ઘરમાં શનિ હોય તો આવો જાતક મહાન કામ કરનાર હશે. વશ્ચિક લગ્નમાં રાશિ સ્વામી શનિ અકારક જ રહેશે. છતાં પણ ત્રીજા, ચોથા ઘરમાં સામાન્ય રહેશે. રાશિ સ્વામી ગુરુ લગ્ન, પાંચમા, નવમા, ચોથા ઘરમાં શુભ ફળદાયી રહેશે. આવો જાતક ધનવાન સરકારી અધિકારી બની શકે છે.
ધન લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ અગિયારમા તથા બીજા સ્થાનમાં શુભ રહેશે. જ્યારે શનિ રાશિ સ્વામી ગુરુ લગ્ન, પાંચમા, નવમા, ચોથા ઘરમાં શુભ ફળદાયી રહેશે. આવો જાતક ધનવાન પ્રશાસનિક અધિકારી પણ બની શકે છે.
મકર લગ્નમાં નક્ષત્ર સ્વામી શનિ લગ્ન, પાંચમા, નવમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. જ્યારે રાશિ સ્વામી ગુરુ ત્રીજા, અગિયારમા, સાતમા, બારમા ઘરમાં શુભ ફળદાયી રહેશે.
કુંભ લગ્નમાં રાશિ સ્વામી શનિ નવમા, લગ્ન, બારમા ઘરમાં સામાન્ય રહેશે. જ્યારે ગુરુ બીજા, ત્રીજા, છઠ્ઠા, સાતમા ઘરમાં ઉત્તમ ફળદાયી રહેશે.
મીન લગ્નમાં નક્ષત્ર સ્વામી છઠ્ઠા, અગિયારમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. રાશિ સ્વામી ગુરુ લગ્ન, બીજા, ત્રીજા, પાંચમા, છઠ્ઠા, નવમા, દસમા ઘરમાં શુભ ફળદાયી રહેશે. આ રીતે શનિ જો કુંડળીમાં કારક હોય તો એસેશિસ્ટ (રત્નનો એક પ્રકાર) તથા ગુરુની સ્થિતિ ઉત્તમ હોય તો પોખરાજ ધારણ કરવાથી તેમના શુભ પરિણામ મળશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment