Thursday, August 18, 2011
તમારા હસ્તાક્ષર કેવા છે?
હસ્તાક્ષર (સિગ્નેચર) શાસ્ત્રનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતાં જીવનનાં તમામ ક્ષેત્રોની તલસ્પર્શી માહિતીનો ઉકેલ મળી શકે છે. વિશ્વમાં કુલ ૬૮૦૦ ભાષાઓ છે. આ તમામ ભાષાઓના મૂળાક્ષરોનું જ્ઞાન જેને હોય તે અક્ષરોના વળાંક-દબાણ તથા લખવાની શૈલી દ્વારા એનું પૂર્ણ અર્થઘટન તે ભાષામાં સચોટ રીતે કરી શકે છે.
જેમ સૂર્યોદય પૂર્વમાં થાય છે અને સૂર્યાસ્ત પશ્ચિમમાં તે જ રીતે મોટાભાગની ભાષાઓમાં પણ પૂર્વથી પશ્ચિમમાં લખાય એમ હસ્તાક્ષર થાય છે. આ જીવન મુસાફરીમાં આવતો કોઈ પણ અક્ષર જીવનની મહત્ત્વની બાબતને સ્પષ્ટ કરે છે. અક્ષરોના મરોડ વ્યક્તિ અને વ્યવસાય-કારકિર્દી પ્રમાણે અલગ-અલગ રીતે લખાય છે. જ્યારે સહી અતિ મહત્ત્વની બની જાય ત્યારે એનું પ્રભુત્વ પણ એટલું જ હોય છે. એ પ્રભુત્વ એ જ ‘સ્ટેટસ’ છે. જેટલું ‘સ્ટેટસ’ ઊંચું એટલી એ વ્યક્તિ પ્રભાવશાળી ગણાય.
સિગ્નેચર ૧૩ વર્ષનાં બાળકો અંદાજે શરૂ કરે અને જીવન દરમિયાન અસંખ્ય વાર કરે પરંતુ સમય સંજોગો-ઘટનાઓ અને ભાવિ પ્રમાણે ‘સિગ્નેચર’ હસ્તરેખાની જેમ બદલાય છે. કર્મ ઉપર એનો આધાર રહે છે. સંતાનોને સંસ્કારો સાથે સુવાચ્ય અને હકારાત્મક સિગ્નેચર શીખવવાનો આગ્રહ માતાપિતા રાખે તો એ સંતાનો ઉચ્ચ કોટીનું જીવન જીવી શકે છે. આ જમાનામાં તો દરેક બાબત ‘સિગ્નેચર’ પૈકી બની ગઈ છે. સિગ્નેચર ડિઝાઇન્સ- સિગ્નેચર સારીઝ- સિગ્નેચર કાર્ડસ- સિગ્નેચર બુટિક્સ- વગેરે પરંતુ ‘સિગ્નેચર સિગ્નેચર’ લખીએ તો ગુણવત્તાની ઉત્તમ કક્ષા બની શકે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. સિગ્નેચર વિજ્ઞાન ‘ગ્રાફોલોજી’ થી જ સુસંગત છે. ‘હેન્ડરાઈટિંગ’ દ્વારા વ્યક્તિનો સ્વભાવ સમજવો સરળ રહે છે, પરંતુ સિગ્નેચરથી વ્યક્તિનું ‘જીવન’ આખું સમજવું શક્ય છે. હસ્તાક્ષર શાસ્ત્ર ગૂઢ, ગહન અને બૃહદ્ વિસ્તારોને આવરી લે છે.
સિગ્નેચર હંમેશાં ‘હસતાં અક્ષર’, ‘હસ્તાક્ષર’ રાખવા. આ વિજ્ઞાનને પરિપકવતાથી સમજવાથી હસ્તાક્ષરનાં પરિવર્તનો, સ્પંદનો, પ્રતિભાવો, ઉપયોગિતાઓ, સક્ષમતાઓ, રચનાત્મક અભિગમો, ચુંબક વલયો, અલ્પતાઓ, દીર્ઘતાઓ, દૂષણો, વિલક્ષણતાઓ, વૈવિધ્યો, અસરકારકતા, સ્પષ્ટતાઓ, સ્પૃહતાઓ, સમીકરણો, તરંગો, આયોજનો, પ્રયોજનો, આક્રમકતાઓનું અર્થઘટન અને જ્યોતિષી આગાહીઓ કરી શકાય છે. હસ્તાક્ષર હંમેશાં ‘જીવંત’ રહે છે. વ્યક્તિ મૃત્યુ પામે છે, પરંતુ હસ્તાક્ષર અમર રહે છે. હકારાત્મક સહીનો અભિગમ રાખવાથી જીવનમાં સત્કાર્યો કરી શકાય છે. ‘ગ્રાફોલોજી’ અને ‘સિગ્નોગ્રાફી’ બંને એક જ પરિવારના પરંતુ તુલનાત્મક બાબતમાં અલગ પડે છે. વ્યક્તિ વ્યક્તિની સહી અલગ હોય છે. સિગ્નોગ્રાફી એ ‘ગ્રાફિક સાયન્સ’ નો અભ્યાસ છે. દોરવું- લખવું-ખોતરીને બનાવવું કે કલાત્મક રીતે અક્ષરોને ઢાળવા ક્યારેક જ નહીં પરંતુ હંમેશાં ઇન્સ્ટુમેન્ટનો ઉપયોગ થાય છે. પેન હોય કે પીંછી અણીદાર સોયો હોય કે અન્ય ઓજાર. આ તમામનો ઉપયોગ માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ વધુ સારી રીતે કરી શકે. માનસિક રીતે નિર્બળ વ્યક્તિ કાંઈ કરી શકે નહીં. હસ્તાક્ષરનો દાર્શનિક માનસ અભ્યાસ કરવાથી જીવનની અનેક ખૂબીઓ છતી થાય છે. સિગ્નોગ્રાફીથી ઘણાં ક્ષેત્રોમાં આગેકૂચ શક્ય બની છે.
હસ્તાક્ષરનું ‘મૂલ્ય’ સમજનાર અમીર છે. હસ્તાક્ષરને વેડફનાર ‘ગરીબ’ છે. શેરબજારમાં રોકાણ કરનારા સાહસિક ક્ષેત્રોમાં નસીબ અજમાવનારાં-આકસ્મિક ધનપ્રાપ્તિ માટે ઉત્સુક બનનારા અને રાજકારણથી માંડીને રમતગમત સુધીનાં તમામ ક્ષેત્રોમાં હસ્તાક્ષર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. હસ્તાક્ષર સુધારવાથી ડોક્ટર-વકીલ-ખર્ચાળ વિભાગો અને પોલીસ વિભાગ તથા રાજ્યદ્વારી તકલીફોથી થતાં ખર્ચને ઓછો જરૂર કરી શકાય.
હસ્તાક્ષરના મુખ્ય પ્રકારોમાં હકારાત્મક એટલે કે સરળ કપાયા વિનાના અને સુવાચ્ય પ્રમાણસર તથા પરિણામલક્ષી હસ્તાક્ષર અને નકારાત્મક એટલે પ્રતિકૂળતા વધારનાર કપાયેલાં, ગમેતેમ એકબીજા ઉપર ચઢી ગયેલાં. વાચ્ય અને તકલીફોમાં વધારો કરનારા, નિસ્તેજ અને અર્થહીન હસ્તાક્ષર.
વિચારવાનું અને અમલમાં મૂકવાનું આપણાં હાથમાં છે. ફિલ્મ જોવા જઈએ તો એમાંથી સારો બોધપાઠ લેવાય. અનિષ્ટ બાબતો ગ્રહણ ન જ કરાય. જીવનમાં ‘ગ્રહણો’ ઘણાં ચાલે છે. એમાંથી સિફતપૂર્વક બહાર નીકળવું જરૂરી છે. જે પ્રમાણે જેટલું બચાવ્યું એટલું કમાયેલું ગણાય. એ રીતે હસ્તાક્ષર શક્યતાએ જેટલાં સારા કરી શકે એટલાં કરવાથી ઘણી મુસીબતોમાંથી બહાર આવી શકાય. હસ્તાક્ષર સુધારવામાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. પૈસાનો નહીં. ભાવિ સુધારવામાં બુદ્ધિ દ્વારા પૈસો બચાવી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરીએ તો એનાથી રૂડું શું?
જે વ્યક્તિઓ પરદેશ જવામાં અસફળ રહે છે. લગ્નમાં વિલંબનો અનુભવ કરે છે. વિદ્યાક્ષેત્રે અસફળતા જુએ છે. કારકિર્દી અને ગૃહસંસારમાં બધું હોવા છતાં એકલતા કે લઘુતાગ્રંથિના શિકાર બને છે. આર્થિક રીતે પછાત રહે છે. સંબંધો સાચવવામાં નિષ્ફળ જાય છે. કાયમી બીમારી કે માનસિક ત્રાસનો અનુભવ કરે છે એ તમામે પોતાની સહીનો ‘નમૂનો’ અભ્યાસ માટે મોકલવો જોઈએ તો માર્ગદર્શન આપી શકાય.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment