Tuesday, August 16, 2011
બુધવારની ગણેશપૂજા દરેક કામમાં આપશે ખૂબ લાભ
Related Articles
* ઘરમાં મંદિર ક્યાં મૂકવું? કોની પૂજા કરવી અને શું ન કરવું?
* મંદિરમાં પૂજા વખતે નારિયેળ કેમ અર્પિત કરવામાં આવે છે?
* ...એટલા માટે સવારે પૂજા-પાઠ પહેલા સ્નાન જરૂરી છે!
ભગવાન ગણેશને જળ તત્વના દેવતા માનવામાં આવ્યા છે. શ્રાવણ મહિનામાં ચાતુર્માસ અને વર્ષાકાળના ચાર મહિનમાં મુખ્ય કાળ છે. આ પ્રકારે આ વિશેષ કાળમાં ભગવાન ગણેશની ઉપાસના કામના સિદ્ધિ દ્વારા સુખોનો દુષ્કાળ સમાપ્ત કરનારી માનવામાં આવે છે. જો સમયની કમી હોય તો અને પૂજાપાઠ ન કરી શકો તો નીચે બતાવેલ આસાન મંત્રો તથા સામગ્રીઓ દ્વારા કોઈપણ સ્ત્રી-પુરુષ ગણેશપૂજાથી કામના પૂર્તિ અને વિઘ્નોને દૂર કરી શકે છે...
-સવારે કે સાંજના સમયે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રીગણેશની મૂર્તિ ઉપર જળ અર્પિત કરો.
-જળ સ્નાન પછી ભગવાન ગણેશને કંકુ, અબીર, ગુલાલ, અક્ષત, દૂર્વા, ફૂલ, મૌલી, જનેઉ, પાન સોપારી, લવિંગ, ઇલાયચી, નારિયળ અર્પિત કરી પૂજા કરો. દરેક વિશેષ પૂજા સામગ્રી સાથે જોડાયેલ મંત્રોની જાણકારી ન હોય તો નીચે આપેલ આઠ આસન ગણેશમંત્રો બોલીને પણ ચઢાવી શકો છો.
ॐ वक्रतुण्डाय नम:।
ॐ एकदंताय नम:।
ॐ महोदराय नम:।
ॐ गजाननाय नम:।
ॐ लम्बोदराय नम:।
ॐ विकटाय नम:।
ॐ विघ्रराजाय नम:।
ॐ विनायकाय नम:।
-પૂજા પછી ભગવાન ગણેશે દૂધના બનેલ મોદકનો નૈવધ લગાવી કોઈપણ સ્ત્રોતનો પાઠ કરો. શ્રીગણેશની ધૂપ, દીપ અને કર્પૂરથી આરતી કરો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment