Wednesday, August 31, 2011
ચંદ્ર-રાહુની યુતિ હશે તો તમારી સાથે કંઇક આવું બનશે
ચંદ્ર અને રાહુ જો બારમા સ્થાનમાં હોય તો જાતકને અતિ ખર્ચાળ બનાવે છે અને ક્યારેક જેલયાત્રા જેવા દુ:ખદ સંજોગોનું સર્જન કરે છે. ચંદ્ર અને રાહુ ત્રીજે ભાઇ-ભાંડુ અને પડોશીઓ સાથે નાહકના કજિયા કરાવે છે.
અંગ્રેજીમાં રાહુ અને કેતુને નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે અથૉત્ ઉત્તર અને દક્ષિણ દિશાના માર્ગીય છેદન બિંદુઓ તરીકે ઓળખાય છે. ચંદ્ર પર રાહુનો પડછાયો પડવાથી ચંદ્રના નૈસિર્ગક ગુણધર્મ છીનવાય છે. આવી યુતિવાળા જાતકોમાં મનોબળનો અભાવ વર્તાય છે.
દસમા સ્થાનમાં ચંદ્ર રાહુની યુતિ જાતકને અકર્મી બનાવી દુષ્કર્મ તરફ વાળે છે. ચંદ્ર રાહુની યુતિ જાતકને ક્યારેક અણધાર્યા લાભ આપે છે પરંતુ આવા લાભ બે નંબરી અને સમાજને માન્ય હોતા નથી.
ચંદ્ર નામના ઉપગ્રહને તમે અને અમે આરામથી જોઇ અને માણી શકીએ છીએ પરંતુ આવું વિધાન રાહુ માટે કરવું અઘરું અને અધૂરું પણ છે, કારણ કે રાહુ અને કેતુ આ બંને ગ્રહો છાયા ગ્રહો છે અને આ બંને ગ્રહો અન્ય ગ્રહોની માફક આકાશમાં તરતા પદાર્થો કે પીંડ નથી કે જેને નરી આંખે જોઇ શકાય. રાહુ અને કેતુ બંને પડછાયા છે અને આ પડછાયા જ્યારે સૂર્ય અને ચંદ્ર પર પડે ત્યારે ખગોળની દ્રષ્ટિએ તેને ગ્રહણ થયું કહેવાય.
જન્મકુંડળીમાં જ્યારે ચંદ્ર અને રાહુ સાથે સાથે હોય ત્યારે એક વાત નિશ્વિત છે કે તે જાતકનો જન્મ ગ્રહણ કાળ દરમિયાન થયો તેમ કહેવાય. ચંદ્ર સાથે રાહુ બેસે એટલે જ્યોતિષની સામાન્ય ભાષામાં મન સાથે રાક્ષસનું જોડાણ થયું એમ કહેવાય. આવા યોગના કારણે મન મેલું બને છે અને જીવનમાં માનસિક ભાર વધવાની સાથે આવા જાતકો માટે જીવન એક સંઘર્ષ બની જાય છે.
અંગ્રેજીમાં રાહુ અને કેતુને નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે અથૉત્ ઉત્તર અને દક્ષિણ દિશાના માર્ગીય છેદન બિંદુઓ તરીકે ઓળખાય છે. ચંદ્ર પર રાહુનો પડછાયો પડવાથી ચંદ્રના નૈસિર્ગક ગુણધર્મ છીનવાય છે. આવી યુતિવાળા જાતકોમાં મનોબળનો અભાવ વર્તાય છે. પરિણામે આવા જાતકો માનસિક નબળાઇના કારણે ક્યારેક વ્યસને કે કુટેવે ચડી જાય છે. પાગલખાનાની મુલાકાતો અગર સાઇકિયાટિક (માનસિક રોગના નિષ્ણાત)નાં પગથિયાં ચઢનારા જાતકોની કુંડળીમાં ચંદ્ર-રાહુના યોગ જોવા મળે છે. ચંદ્ર અને રાહુનો સાથ એટલે માનસિક વ્યાધિ અને ઉપાધિ. ચંદ્ર અને રાહુની યુતિ વિશે શાસ્ત્રો શું કહે છે? સુશ્લોક શતક ગ્રંથ અનુસાર-
ચંદ્રે રાહુયુતે જાતો રાજચોર ભયાતુર: !
અથૉત્ જન્મકુંડળીના બીજા ભાવમાં રાહુ-કેતુ ચંદ્ર સાથે બેસે તો જાતક રાજ્યનો ચોર અને ગુનેગાર બને છે. તુલા લગ્નની કુંડળીમાં આવી સ્થિતિનું નિર્માણ થાય તો ચંદ્ર દસમા (રાજ)સ્થાનનો માલિક બનતો હોઇ તુલા લગ્નમાં બીજા સ્થાનમાં આવી યુતિ અનિષ્ટકારી ગણાય. બીજા સ્થાનમાં આવી યુતિ વિશે નીચેનો શ્લોક જોઇએ.
ધને રાહૌ ધનચ્છેદં સ્વદશાંતર્દશાસુ ચ!
અથૉત્ ચંદ્ર રાહુ બીજા ધન સ્થાનમાં હોય અને જાતકને રાહુની દશા આવે તો ધનના ભાગલા અને કુટુંબમાં કલેશ અને વિચ્છેદ કરાવે છે. આવા સમયે કુટુંબ, ધન અને ભાઇ-ભાંડુ વચ્ચે કુસંપ થાય છે.
આપણા મહાન જ્યોતિષી કલ્યાણ વર્મા પોતાના ગ્રંથ સારાવલીમાં નીચે પ્રમાણે કહે છે.
લગ્ને રાહુયુતે ચંદ્ર મુર્ખપ્રકૃતિ કોપવાન!
અથૉત્ જન્મકુંડળીના લગ્ન સ્થાનમાં ચંદ્ર રાહુ બિરાજમાન હોય તો તેવો જાતક મૂર્ખ સ્વભાવનો હોય છે.
ચંદ્ર અને રાહુ જો બારમા સ્થાનમાં હોય તો જાતકને અતિ ખર્ચાળ બનાવે છે અને ક્યારેક જેલયાત્રા જેવા દુ:ખદ સંજોગોનું સર્જન કરે છે. ચંદ્ર અને રાહુ ત્રીજે ભાઇ-ભાંડુ અને પડોશીઓ સાથે નાહકના વાદવિવાદ અને કજિયા કરાવે છે. ચોથે મકાન, જમીન અને વાહનને લગતા સુખમાં ઓટ આપે છે. ક્યારેક આ યુતિ ચોથા સ્થાનમાં જીવનનાં તમામ સુખ છીનવી લે છે. ચોથા સ્થાને આ યુતિ માનવીના મનમાં અશાંતિ અને અજંપો પેદા કરે છે.
જન્મકુંડળીના સાતમા સ્થાનમાં આ યુતિ ભાગીદારો વચ્ચે વૈમનસ્ય અને દાંપત્યજીવનમાં ભારે કલેશ પેદા કરે છે. આઠમે આવી યુતિ માનવીને સંન્યસ્ત અને વૈરાગ્ય તરફ વાળે છે. પાંચમા સ્થાનમાં આ યુતિ જાતકને ક્યારેક આસ્થામાંથી ડગાવી એકદમ નાસ્તિક બનાવે છે અને વિદ્યા અભ્યાસમાં નિષ્ફળતા અપાવે છે. યુવા વર્ગને આ યુતિ પ્રેમમાં નિષ્ફળતા આપે છે. જન્મકુંડળીના છઠા સ્થાનમાં આ યુતિ નોકરીના સ્થળે ભારે ચિંતા અને કાર્યબોજ આપે છે. નવમે આ યુતિ વિદેશયાત્રાને નિષ્ફળ બનાવે છે અને વ્યક્તિને અંધશ્રદ્ધા તરફ ખેંચે છે.
દસમા સ્થાનમાં ચંદ્ર રાહુની યુતિ જાતકને અકર્મી બનાવી દુષ્કર્મ તરફ વાળે છે. ચંદ્ર રાહુની યુતિ જાતકને ક્યારેક અણધાર્યા લાભ આપે છે પરંતુ આવા લાભ બે નંબરી અને સમાજને માન્ય હોતા નથી. જો ચંદ્ર રાહુની યુતિમાં ચંદ્ર બળવાન હોય તો જાતક મન પર વિજય મેળવી સફળતાના માર્ગે આગળ વધે છે અને જો આ યુતિમાં રાહુ બળવાન હોય તો જાતક માનસિક રીતે સાવ જ નિર્બળ બને છે અને નિષ્ફળતાઓને વરે છે.
Subscribe to:
Post Comments (Atom)
Hi RITESH add me in your whatsapp group about astrology I m learning astrology and my name RITESH PATEL MO: 9428487770
ReplyDeleteમેષ રાશિ માં પહેલાં ભાવ માં સૂર્ય મંગલ ની યુતિ નુ ફળ
ReplyDeleteજન્મ તારીખ,૨૧/૮/૨૦૦૨
જન્મ સમય ,૦૭/૧૫ સવારે
જન્મ સ્થળ, મહેસાણા, ગુજરાત