જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મંગળ અને શનિ ગ્રહને ઘણા વધારે બળવાન છે. આ ગ્રહ એકલા જ માણસની કુંડળી બદલવાની ક્ષમતા રાખે છે. બન્ને ગ્રહ ક્રુર થાય તો રાજાને પણ ભિખારી બનાવી શકે છે. આવામા જો ક્યારેય કોઇ માણસની કુંડળી આ બન્ને ગ્રહ એક સાથે એક જ ઘરમા સ્થિત હોય તો શું ફરક પડશે...
- જો મંગળ અને શનિ લગ્નમાં હોય તો તે માણસ યુદ્ધમાં વિજેતા, માતાનો દ્વેષી, અને ભાગ્યહીન હોય છે.
- જો કોઇ વ્યક્તિની કુંડળીમા મંગળ અને શનિ ચતુર્થ ભાવમાં હોય તો તે આનાજ-પાણીથી સુખી, ભાઈયો અને મિત્રોનો સાથ રહે છે.
- જો મંગળ અને શનિ સપ્તમ ભાવમાં સપ્તમ ભાવમાં હોય તો વ્યક્તિ ગરીબ, રોગી, ખરાબ આદતો વાળા, અપમાનિત હોય છે. જો કોઇ સ્ત્રીની કુંડળીમાં આવુ હોય તો તે સ્ત્રી પુત્ર વિહીન થઈ શકે છે.
- જો શનિ અને મંગળ દશમ ભાવમાં હોય તો વ્યક્તિ રાજ્યમંત્રી બને છે. આવા માણસ અપરાધી પ્રવ્રુતિનો અને સજા મેળવવા વાળો હોય છે. આવા લોકો ખોટુ પણ બોલે છે.
આવા ખરાબ પ્રભાવથી બચવાના ઉપાય -
દરેક મંગળવાર અને શનિવારે હનુમાનને સિંદુર અને ચમેલીનું તેલ ચડાવવું.
- મંગળ અને શનિની વિશેષ પૂજા કરવી.
- મંગળ અને શનિને દાન કરવું.
- મંગળવારે મંગલદેવની ભાત પૂજા કરવી.
- રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવું અને 7 પરિક્રમા કરવી.
- રોજ શિવલિંગ પર પાણી ચડાવવું અને વિધિ-વિધાનથી પૂજા કરવી.
રોજ હનુમાન ચાલિસાના પાઠ કરવા.
- ઓછામા ઓછા મહિનામા એક સુંદરકાંડ કરવો.
No comments:
Post a Comment