Related Articles
* શ્રાદ્ધ માટે આ સમય જ કેમ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે?
* પિતૃઓનું ઋણ ચુકવવાનો સમય છે શ્રાદ્ધ પક્ષ
* આ વર્ષે ફરી પંચકમાં ગણેશ વિસર્જન અને શ્રાદ્ધ થશે..
- ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે
- જો પિતૃઓને તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે
આજથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે. તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે.
દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે. કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.
આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે. મૃત્યુ પામનાર કોઈ વડીલ કે આ’જન સાથેનો લૌકિક સંબંધ પુરો થઈ જાય છે પરંતુ તેમની સાથેનો સૂક્ષ્મ સંબંધ પુરો થતો નથી તેથી તેમનું ઋણ અદા કરવા માટે અને તેમની વંદના કરવા માટે જ આપણા ધર્મોએ શ્રાદ્ધને ખાસ મહત્વ આપ્યું છે.
No comments:
Post a Comment