Wednesday, August 31, 2011
તમારી કુંડળીમાં રહેલા યોગોથી જાણો તમારૂ મૃત્યું કેવી રીતે થશે...!
મૃત્યુ થવાનાં અનેક કારણો છે. દા.ત. કુદરતી મોત. આના માટે ૮મે જે ગ્રહ હોય તે તપાસવો જોઇએ, કારણ કે ૮માનો સ્વામી તથા તંદુરસ્તીનો સ્વામી એકબીજા સાથે પાપદ્રષ્ટિમાં આવે ત્યારે મૃત્યુ થાય છે
૬ઠ્ઠે શનિ હોય તો અથવા ૮મે શનિ હોય તો કંઇક લખાણ અને કંટાળા ભરેલાં વર્ષો જુના રોગથી અને માંદગીથી મોત થાય અને જે રાશિનો શનિ હોય તો તે રાશિવાળા શરીરના ભાગ પર તેને લગતું દર્દ થાય. જો ઉપર પ્રમાણે મંગળ હોય તો ગંભીર તાવથી મૃત્યુ નીપજે.
જો શુક્ર પાપદ્રષ્ટિમાં સામેલ થયેલો હોય તો દગા-ફટકાથી મૃત્યુ થાય અથવા દગાથી ઝેર પિવડાવવામાં આવે. શનિ પાણીની રાશિમાં હોય તો ડૂબવાથી મરણ થાય. કેન્દ્ર રાશિ મેષ-કર્ક-તુલા ને મકર એમાં શનિ હોય તો ઘર પડવાથી દબાઇને કે ગૂંગળાઇને મરે અને જો એ રાશિમાંની કોઇ ૪થા ભુવને હોય ને પાપદ્રષ્ટિ થતી હોય તો ધરતીકંપથી મોત થાય.
એ બાબત સત્ય હકીકત છે કે, જે વખતે જે થવાનું હોય છે તેને કોઇ રોકી શકતું જ નથી. મૃત્યુ થવાનાં અનેક કારણો છે. દા.ત. કુદરતી મોત- સાધારણ કુદરતી મૃત્યુ માટે તંદુરસ્તીનો સ્વામી અને આઠમાનો સ્વામી અથવા ૮મે જે ગ્રહ હોય તે તપાસવો જોઇએ, કારણ કે ૮માનો સ્વામી તથા તંદુરસ્તીનો સ્વામી ડાયરેકશનથી એકબીજા સાથે પાપદ્રષ્ટિમાં આવે ત્યારે મૃત્યુ થાય છે અથવા તો તંદુરસ્તીનો સ્વામી અને ૮મે રહેલો ગ્રહ પાપ દ્રષ્ટિમાં આવે તો મૃત્યુ થાય. એવી પાપદ્રષ્ટિ વખતે કોઇ શુભ ગ્રહ શુભ દ્રષ્ટિ કરતો હોય તો બચાવ પણ શક્ય બને છે. મૃત્યુનું કારણ દુ:ખ હોય તો ૬ઠ્ઠા સ્થાન પ્રમાણે હોવું જોઇએ.
૬ઠ્ઠે શનિ હોય તો અથવા ૮મે શનિ હોય તો કંઇક લખાણ અને કંટાળા ભરેલાં વર્ષો જુના રોગથી અને માંદગીથી મોત થાય અને જે રાશિનો શનિ હોય તો તે રાશિવાળા શરીરના ભાગ પર તેને લગતું દર્દ થાય. જો ઉપર પ્રમાણે મંગળ હોય તો ગંભીર તાવથી મૃત્યુ નીપજે. જો ઉપર મુજબ શુક્ર ૮મે ભુવને હોય તો ઘણી જ શાંતિથી કાંઇ પણ દુ:ખ દર્દ વગર આસાનીથી સુખપૂર્વક મૃત્યુ શરણ થાય.
સ્ત્રીની કુંડળીમાં જો સૂર્ય એ જ રીતે હોય તો મૃત્યુ ઘણી સખત બીમારીથી કે લાંબા દર્દથી થાય. ઉપરની બાબતો સાથે ૪થું ભુવન પણ જોવું જરૂરી બની રહે છે તથા ખાસ કરીને ૪થાનો સ્વામી જોવો જોઇએ. કારણ કે એ ભુવન જ અંત સમયનું છે. માટે છેલ્લી પળે મરનાર કેવી હાલતે મરશે તે એ ઉપરથી જણાય છે. મૃત્યુનો વખત જાણવાનું ખાસ કરીને ડાયરેકશન પર જ રહેલું છે. ડાયરેકશન જન્મ પછીના દર વર્ષનું ગણવું જોઇએ અને તેમ કરતાં જે વર્ષમાં તંદુરસ્તીનો સ્વામી જ્યારે ૮માના સ્વામી અથવા આઠમે રહેલ ગ્રહ સાથે પાપદ્રષ્ટિમાં આવે તે વખતે ડાયરેકશન જે જાતનું કાઢવું હોય તેની ચાલના પ્રમાણે સમય ગણવો. તેવે વખતે શુભગ્રહ તંદુરસ્તીના સ્વામીને શુભદ્રષ્ટિ કરતો હોય તો મૃત્યુ થશે નહીં અને ગંભીર માંદગી થશે ને બચી જશે. એવે વખતે ગોચર જોવાથી તંદુરસ્તીના સ્વામીને શુભદ્રષ્ટિ થતાં બચાવ થાય.
તંદુરસ્તીના સ્વામી કરતાં હર્ષલ-મંગળ-શનિ એ ત્રણે ગ્રહોમાંથી કોઇ બળવાન થઇને પાપદ્રષ્ટિથી તંદુરસ્તીના સ્વામીને અથવા ૮માના સ્વામીને અસર કરતો હોય તો હોનારતથી મૃત્યુ થાય છે. એવે વખતે સૂર્ય ચંદ્ર એ બેને પાપીઓ પાપદ્રષ્ટિ કરતા હોય તેવે વખતે શનિ વૃષભ, સિંહ, વૃશ્વિક કે કુંભ રાશિમાં હોય તો ગળું દબાવવાથી, ગૂંગળાઇને અથવા ફાંસો ખાઇને કે ફાંસીએ જઇને મૃત્યુ થાય. જો શનિ મેષ, વૃષભ, સિંહ, ધન કે મકરમાં હોય તો જ જનાવરના ડંખથી મૃત્યુ થાય ને જો ગુરુ,એવે વખતે શનિની પાપદ્રષ્ટિમાં પોતે પણ પડેલો હોય તો જાહેરમાં મૃત્યુ થાય અથવા કોઇ ન્યાયાધીશના હુકમથી મોત થાય.
શનિ વૃશ્વિક રાશિમાં એવી રીતે હોય તો સાપ કરડવાથી મૃત્યુ નીપજે. જો શુક્ર પાપદ્રષ્ટિમાં સામેલ થયેલો હોય તો દગા-ફટકાથી મૃત્યુ થાય અથવા દગાથી ઝેર પિવડાવવામાં આવે. શનિ પાણીની રાશિમાં હોય તો ડૂબવાથી મરણ થાય. કેન્દ્ર રાશિ મેષ-કર્ક-તુલા ને મકર એમાં શનિ હોય તો ઘર પડવાથી દબાઇને કે ગૂંગળાઇને મરે અને જો એ રાશિમાંની કોઇ ૪થા ભુવને હોય ને પાપદ્રષ્ટિ થતી હોય તો ધરતીકંપથી મોત થાય. મંગળ જો એ પ્રમાણે પાપદ્રષ્ટિ કરતો હોય તો કે તંદુરસ્તીના સ્વામી કરતાં ઉચ્ચનો કે બળવાન હોય તો અને તંદુરસ્તીના સ્વામી કે ૮માના સ્વામી કે જન્મલગ્નને પાપદ્રષ્ટિ કરતો હોય તો જખમ થવાથી-આગથી- ખૂન થવાથી, લડાઇથી મોત થાય છે. આવા મૃત્યુનો કારક મંગળ છે.
વૃષભ રાશિમાં મંગળ ગળું કપાવીને અથવા કાપી આપઘાત કરવાથી મૃત્યુ થાય છે. આતશી રાશિમાં અથવા મિથુન, કન્યા કે કુંભ કે ધનના અડધા ભાગમાં મંગળ હોય તો અને પાપદ્રષ્ટિ કરે તો માણસના હાથે ખૂન થાય કે આગથી કે ગમે તે રીતે લડાઇમાં મરે. જ્યારે સૂર્ય ચંદ્રની સામે બરાબર ૧૮ અંશે જન્મકાળે હોય તો જરૂર આગથી મૃત્યુ જાણવું, એવે વખતે દ્રષ્ટિમાં ગુરુ હોય તો ન્યાયાધીશના હુકમથી મૃત્યુ થાય.
હર્ષલ પાપદ્રષ્ટિ કરતો હોય તો દારૂગોળો ફૂટવાથી, વીજળી પડવાથી, રેલવે બસમાં એક્સિડન્ટથી અને ખાસ કરીને આપઘાતથી મૃત્યુ નીપજે. આવી રીતે નેપ્ચ્યૂન પાપ દ્રષ્ટિમાં હોય તો અફીણ ખાવાથી-દવાનું ઝેર ચઢવાથી કે એવા કોઇ કારણસર મૃત્યુ નીપજે. કોઇ પણ નિર્ણય કરતી વખતે સંપૂર્ણ બારીક અભ્યાસ કર્યા પછી જ અંતિમ નિર્ણય પર આવવું જરૂરી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment