Wednesday, November 17, 2010

હથેળીના નક્ષત્ર પણ બદલી શકે છે ભાગ્ય

હથેળીને ધ્યાનથી જોશો તેમાં ઘણી જગ્યાએ નક્ષત્ર અથવા તારાના નિશાનો જોવા મળે છે. હથેળીમાં દેખાતા દરેક ચિન્હનું કંઈક અલગ મહત્વ હોય છે. હથેળીમાં ઉપસ્થિત નાનકડુ ચિન્હ કોઈના પણ જીવન પર ગાઢ પ્રભાવ પાડી શકે છે.

જો સૂર્ય પર્વત પર નક્ષત્ર હોય તો આવી વ્યક્તિના જીવનમાં પૂર્ણ ધન લાભ થાય છે. ભૌતિકરૂપથી એના જીવનમાં કોઈ જ કમી નથી હોતી.

બુધ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ એક સફળ વ્યાપારી અને સફળ સાહિત્યકાર હોય છે.

મંગળ પર્વત પર જો નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ બહુ જ સાહસી હોય છે.

જો શનિ પર્વત પર નક્ષત્ર કે તારાનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિનો ભાગ્યોદય બહુ જ જલ્દી થાય છે. આવા લોકો પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર રહે છે. જીવનમાં તેમને પૂર્ણ યશ અને સન્માન મળે છે.

શુક્ર પર્વત પર આવુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ ભોગી હોય છે. પત્ની સિવાય પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે. અને તેની પત્ની બહુ જ સુંદર અને સ્વસ્થ રહે છે.

જો ગુરૂ પર્વત પર નક્ષત્રનુ ચિન્હ હોય તો આવી વ્યક્તિ પોતાના જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરે છે. સમાજમાં પૂર્ણ ધન, માન, પદ હોય તો તેના જીવનમાં કોઈ જ પ્રકારની કમી નથી રહેતી. તે નિરંતર પ્રગતિ તરફ આગળ વધે છે. સમાજ તેને સન્માનિય પદ પ્રાપ્ત થાય છે.

No comments:

Post a Comment